રાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ટિકિટ આપી છતાં નેતાઓ પાર્ટી છોડી

કોંગ્રેસે તાજેતરમાં જ ૧૨૫ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી અને તેના બીજા જ દિવસે રામપુરની સ્વાર ચમારવા બેઠક પરથી ટિકિટ મેળવનાર યુસુફ અલી યુસુફ સમાજવાદી પાર્ટીમાં જાેડાયા હતા. જાેકે, તેમને સપામાં ટિકિટ ન મળી અને તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા. સાથે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આવા નેતાઓને ફરીથી પાર્ટીમાં લેવા જાેઈએ નહીં. કારણ કે તેમના કારણે પાર્ટીમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ સાથે કોંગ્રેસને બીજાે આંચકો રામપુરમાં જ લાગ્યો હતો અને પાર્ટીના ઉમેદવાર હૈદર અલી ખાન ઉર્ફે હમઝા મિયાંએ કોંગ્રેસ છોડીને અપના દળ (સોનેલાલ) સાથે હાથ મિલાવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, અપના દળ તેમને સ્વાર બેઠક પરથી ટિકિટ આપી રહ્યું છે. આટલું જ નહીં, કોંગ્રેસ દ્વારા બરેલીના ઉમેદવાર જાહેર કરાયેલા સુપ્રિયા એરોન પોતાના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રવીણ સિંહ એરોન સાથે સપામાં જાેડાઈ ગયા. જ્યારે હારુન પરિવાર ઘણા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે. તે સપામાં આવ્યા પછી પાર્ટીએ તેને બરેલી કેન્ટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તાજેતરમાં જ પાર્ટીની પોસ્ટર ગર્લ ગણાતી પ્રિયંકા મૌર્ય પણ પાર્ટી છોડીને ભાજપમાં જાેડાઈ છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને છોડીને અન્ય પક્ષોના ઘણા ઉમેદવારોએ સભ્યપદ લીધું છે.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યમાં પાર્ટીને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં અનેક રાજકીય દાવ રમી રહ્યા છે. આ સાથે જ પાર્ટીમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ પણ પક્ષના નેતાઓ અન્ય પક્ષોમાં જાેડાઈ રહ્યા છે. જેને પાર્ટી માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે.

જાે તમે જુઓ તો રાજ્યમાં બસપા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભાગદોડ ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ યુપીમાં પાર્ટી છોડી દીધી છે અને અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ કોંગ્રેસને સૌથી મોટો ફટકો તે નેતાઓના કારણે પડ્યો છે. જેમની ટિકિટ પાર્ટીએ ફાઈનલ કરી હતી અને ટિકિટ મળ્યા બાદ તેઓએ અન્ય પક્ષોની સભ્યતા પણ લીધી છે. આ સાથે જ પાર્ટી છોડી ગયેલા નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને હવે કાર્યકરો પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની નીતિ ઘડનારાઓ પાસે ઉમેદવારોની ઓળખ નથી. જમીન પર કામ કરી રહેલા નેતાઓને પાર્ટીએ ટિકિટ આપી નથી. જેથી નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે.

Related Posts