રાષ્ટ્રીય

વસંત પંચમીના દિવસે મહેરબાની કરીને આ પાંચ ભુલ ન કરતા, નહીં તો..

માહ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે વસંત પંચમી. આ દિવસને લોકો ધામધુમથી ઉજવે છે. આ વખતે વસંત પંચમી 5 ફેબ્રુઆરીએ આવી રહી છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે વસંત પંચમીના દિવસે કઈ પાંચ ભુલ ભુલથી પણ ન કરવી જોઈએ…

વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રકટ થયા હતા. આ દિવસે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે. તો ચાલો જાણીએ કે વસંત પંચમી પર તમારે ક્યા કાર્યો ન કરવા જોઈએ.

ખરાબ કે ખોટા કામ ન કરવા
આ દિવસે શિક્ષાનું વધુ મહત્વ હોય છે. એવામાં તમારે આ દિવસે શિક્ષા કે કોર્ટ કચેરીના ખોટા કામ ન કરવા જોઈએ. 

સ્નાન કરવાનું ભુલવુ નહીં
વસંત પંચમીના દિવસે સ્નાન કરવું. સ્નાન કર્યાં વગર માતા સરસ્વતીની પૂજા કરવી નહીં. જો તમે માતા માટે પ્રસાદ બનાવતા હોવ તો સ્નાન કર્યા પછી જ કરો. જો શક્ય હોય તો આ દિવસે માતાના નામનું વ્રત રાખો.

કાળા રંગના કપડા ન પહેરવા
તમારે આ દિવસે કાળા, લાલ અથવા રાખોડી રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.

ખોટું ન બોલવું
વસંત પંચમીના દિવસે ખોટી વાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે તમારે કોઈને પણ અપશબ્દો બોલવાથી બચવું જોઈએ. 

નશાથી દુર રહેવું
વસંત પંચમી પર માંસ, આલ્કોહોલ, ઈંડા, માછલી, તમાકુ જેવી વસ્તુઓનું સેવન ભુલથી પણ ન કરવું જોઈએ.

Related Posts