અમરેલીમાં આજરોજ પંજાબમાં 117 માંથી 92 સીટથી આમ આદમી પાર્ટીની ઐતિહાસિક ભવ્ય જીત થતા પાર્ટીના કાર્યકરો ભાઈઓ અને બહેનો દ્વારા અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં શહીદ સ્મારકમાં શહીદોને પુષ્પાંજલિ કરી અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ અમરેલી ના ગૌરવ સમા ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને ફુલહાર કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી..આ તકે દરેક કાર્યકર ભાઇઓ બહેનોએ પંજાબની ભવ્ય જીત બદલ પેંડા ખવડાવી અને મોં મીઠા કર્યા હતા.
આ આજે પંજાબમાં જીત મળેલ છે તે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જી જે રીતે લોકોના ટેક્સના પૈસા લોકોની સુખાકારી માટે વપરાય તે માટે દિલ્હીમાં જનતાને ઉપયોગી જે ભારતમાં ક્યાંય નથી એવી યોજનાઓ ચલાવી રહ્યા છે અને જનતાને સ્પર્ષતા દરેક સામાજિક પ્રશ્નો બાબતે કાયમ ઉપયોગી થઇ રહ્યા છે અને દિલ્હીમાં રોજગારી શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ ભારતમાં દિલ્હી જેવી જનતા માટેની સુખાકારી ક્યાંય એક પણ રાજ્યમાં નથી જેથી પંજાબની જનતાએ આ વખતે યોગ્ય સરકારને ચુંટી કાઢી છે, અને આ જીત પાર્ટીની નહીં પણ આમ આદમીની જીત છે.
આ કાર્યક્રમમાં નિકુંજભાઈ સાવલિયા,રવિભાઈ ધાનાણી, જયદીપભાઇ પાંચાણી, ભાર્ગવભાઈ મહેતા,કિરણબેન ઉકાણી,ચેતનાબેન સેંજલીયા, મધુબેન બગડા,પરેશભાઈ માલવિયા,પંકજભાઈ રોકડ,પરેશસિંહ પલવાર,સુખાબાપુ, શૈલેષભાઈ ભાદાણી,મિલનભાઈ સાવલિયા, પ્રીતેશભાઈ ચૌહાણ,વિરેન્દ્રભાઈ વાઘેલા,વિપુલભાઈ ગજેરા,દીપકભાઈ મહેતા,ભરત બારોટ,ઘનશ્યામભાઈ હિરપરા,કનુભાઇ લીમ્બાશીયા, અરવિંદભાઈ નાકરાણી, ઘનશ્યામભાઈ દેસાણી, ભાવેશભાઈ બગડા સહિતના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી શહેરમાં આજરોજ પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક ભવ્ય જીત બદલ કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવ્યો.

Recent Comments