વરીયાળી ના પાણીના ફાયદા સ્વાસ્થ્યની સમસ્યા થી લઈને ચહેરા સમસ્યા સુધી ના ફાયદા
વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન,વિટામીન એ ,વિટામિન સી ,ફાઇબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જો ત્વચા ઉપર ખીલ થતા હોય તો એવી સમસ્યાને દૂર કરવા માટે વરિયાળી નો ઉપયોગ થાય છે જેમાં એન્ટિસપ્ટિક ગુણ હોય છે જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ રૂપ માનવામાં આવી છે વરિયાળીને થોડીક વાર પાણીમાં પલાળી રાખો, પછી તેને પીસી નાખો તેમાં દહીં અને મધ નાખીને મિક્સ કરી, પછી આ પેક બનાવ્યા પછી તેને ચહેરા ઉપર લગભગ ૨૦ મિનિટ સુધી લગાવી રાખો, પછી બરાબર ચહેરાને ધોઈ નાખો, આવી રીતે પેક બનાવીને ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ને ઠંડક આપવાનું કામ કરશે.ચહેરા પર ભેજ જાળવી રાખશે. ખીલની સમસ્યા દૂર કરશે ત્વચા માટે વરિયાળી નો ફાયદો વરિયાળી નો ઉપયોગ સામાન્ય રીતે મોં ફ્રેશ કરવા માટે થાય છે અને જમ્યા પછી વરિયાળી ખાવામાં આવે તો પાચનક્રિયા સારી રહે છે આના સિવાય તમે જાણો છો. કે વરિયાળી નું પાણી પીવાથી સ્વાસ્થ્યને તો સારું રાખે છે પણ સાથે સાથે જ ત્વચાને પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે
Recent Comments