ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે . તેમ તેમ સતાધારી પક્ષ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનાં આંટા ફેરા ગુજરાતમા સતત વધી રહ્યા છે . ગત સપ્તાહે બે દિવસ માટે ઓચિંતી અને અણધારી ગુજરાતની મુલાકાતે આવી ચડેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ( સંગઠન ) બી . એલ . સંતોષ ફરી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે . કેવડીયા કોલોની ખાતે ભાજપના એસ . ટી . મોરચાની બેઠકમાં તેઓ સામેલ થયા હતા . અને મોરચાની કામગીરીની સમીક્ષા કરી હતી . કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકી દીધું છે . જેની સામે ભાજપે કેવડીયામાં એસ . ટી . મોરચાની ત્રણ દિવસની બેઠકનું આયોજન કર્યું છે . ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ( સંગઠન ) બી . એલ . સંતોષ એસ . ટી . મોરચાની કામગીરીની સમીક્ષા ચાલુ કરી દીધી છે . સાથોસાથ આગેવાનો સાથે બેઠક પણ યોજાશે . દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી . આર . પાટીલ દ્વારા કિશાન મોરચાના હોદેદારો સાથે બેઠક બોલાવી હતી જેમાં ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી .
ચૂંટણીનો ગરમાવો જામ્યો: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ( સંગઠન ) બી . એલ . સંતોષ ફરી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા

Recent Comments