દ્વાપર યુગમાં સતાના મદમાં ભાન ભુલેલા મથુરાના રાજા કંસે જનતા પાસેથી દુધ,દહીં અને છાશ ઉપર દાણ વસુલીનેે પોતાનો વિનાશ નોતર્યો હતો, તેમ હાલની કેન્દ્રની ભાજપ સરકાર સતાના મદમાં ભાન ભુલીને ભારત દેશની જનતા ઉપર દુધ,દહીં અને છાશ,અનાજ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપર પ% જીએસટી નાંખીને પોતાના પતનની શરૂઆત કરી દીધી છે, કેન્દ્રની ભાજપ સરકારની અણઆવડતના લીધે આજે સમગ્ર દેશની જનતા મોંઘવારીના મારથી પીસાય રહી છે, અને જીવન જીવવું દોહલું બની ગયું છે, માણસને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે અને આજે તે ખોરાક ઉપર પણ પ% ટેક્ષ નાંખવાનું પાપ આ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે.ભારત દેશની જનતા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારાતી કંસ રૂપી આ ભાજપ સરકારનું પતન કૃષ્ણરૂપી જનતા
દિવસોમાં જરૂર કરશે.
દ્વાપર યુગમાં કંસે દુધ,દહીં અને છાશ ઉપર કર નાંખીને પોતાના પતનની શરૂઆત કરી હતી : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments