પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લના અર્જૂન નગર વિસ્તારમાં ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં શુક્રવારે મોડી રાતે વિસ્ફોટ થઈ ગયો હતો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં હતા. ધમાકો એટલો જાેરદાર હતો કે, બૂથ અધ્યક્ષનું આખું ઘર બ્લાસ્ટ થયું હતું. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસે ત્રણેય લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જ્યારે ગંભીર રીતે ઘાયલ બંને વ્યક્તિઓને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, મંદિનીપુર જિલ્લાના કાંથીમાં આજે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની જાહેરસભા થવાની છે. જાહેરસભા પહેલા શુક્રવારે મોડી રાતે ટીએમસની બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે વિસ્ફોટ થયો હતો.
દુર્ઘટનામાં બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્ના સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ ધમાકો એટલો જાેરદાર હતો કે, અવાજ સાંભળીને આજૂબાજૂના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. બાદમાં ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં તેની સૂચના આપવામાં આવી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘટના શુક્રવાર રાતે લગભગ સાડા ૧૦ કલાકે થઈ હતી. અર્જૂન નગર ગ્રામ પંચાયતના નરયાબિલા ગામમાં આ દુર્ઘટના થઈ હતી. મરનારા લોકોમાં રાજકુમાર મન્ના, તેમનો ભાઈ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયેન છે. રાજકુમાર મન્ના આ વિસ્તારમાં ટીએમસના અધ્યક્ષ તરીકે ઓળખાતો હતો.ે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવે.
આ ર્નિણય કરતા કોર્ટે કહ્યું કે, મંદિરોમાં મોબાઈલના ઉપયોગ પર રોક લગાવાનં પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, કેમ પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જાળવી શકાય. લોકોને કોઈ અસુવિધા ન થાય, એટલા માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરમાં જમા કરવાના રહેશે, જેથી તમામ ભક્તો પોતાના મોબાઈલ સુરક્ષિત રાખી શકે. કોર્ટે એવું પણ કહ્યું કે, આ આદેશનું પાલન યોગ્ય રીતે થાય તેના માટે સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એડોમેન્ટ ડિપાર્ટમેન્ટને આ આદેશ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે. તે સંબંધમાં થુથુકુડીના તિરુચેંદૂરના શ્રી સુબ્રમનિયા સ્વામી મંદિરના એમ. સીતારમણે એક જાહેરહીતની અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં મંદિરોની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાની માગ કરી હતી. જેથી ભક્તો મંદિરોમાં ફોટો ન પાડે અને વીડિયોગ્રાફી ન કરી શકે. તેમણે કહ્યું કે, આ નિયમો અને મંદિરોની સરક્ષા સાથે રમત થઈ રહી છે.
Recent Comments