સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. આપ સુરતના વધુ બે કોર્પોરેટર ભાજપમાં જાેડાયા છે. કનુ ગેડિયા અને રાજુ મોરડિયાએ પક્ષપલટો કરીને આપનો સાથ છોડ્યો છે, અને ભાજપનો હાથ પકડ્યો છે. આ પહેલાં ૧૦ કોર્પોરેટર ભાજપમાં જાેડાઈ ચૂક્યા છે. કુલ ૧૨ કોર્પોરેટર આપ છોડીને ભાજપમાં જાેડાયા છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ ભાજપના ૪ કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. હવે વધુ ૬ કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા છે. ત્યારે ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં આ તમામ ૧૦ કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો હતો. તો હવે બીજા ૨ કોર્પોરેટરે ભાજપનો હાથ પકડ્યો છે. સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેથી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. સુરતમાં છછઁ ના કુલ ૧૨ કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરતા ખળભળાટ મચી ગયો છે. પહેલાં ૧૦ કોર્પોરેટરના રાજીનામા આપ્યા હતા. આમ, કુલ મળીને ૧૨ કોર્પોરેટરોએ કેસરિયા કર્યાં છે.
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે બે કોર્પોરેટરને આજે હાંકી કાઢ્યા છે. તેથી તેઓ ક્યાં જાય છે તેનો અમને મતલબ નથી. પુરાવા મળ્યા હતા કે, બંને કોર્પોરેટરે ભાજપ પાસેથી રૂપિયા લીધા હોવાની માહિતી મળી હતી. અમે તેમને કાઢી મૂક્યા હતા. તેથી તેઓ ગમે ત્યાં જાેડાય તેનાથી અમને કોઈ ખબર નથી. ભાજપનો જ ધંધો આ જ છે. તેનાથી ગુજરાતની જનતાને દુખ પહોંચ્યુ છે. અમે લોકોને કાઢી રહ્યા છે, આવા લોકો અમને જાેઈતા નથી. અમે તો ૧૦ ને કાઢ્યા, પણ ભાજપના ૪૦ કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે. બે-ચાર લોકોના આવવા-જવાથી અમને ફરક નથી પડતો. અરવિંદ કેજરીવાલને ઝ્રમ્ૈંનું તેડું આવ્યું ને આ તરફ સુરત છછઁના ૬ નગરસેવકે પીઠ બતાવી, તમામ ૬ કોર્પોરેટર્સે ભાજપનો ખેસ ધારણ કર્યો, અત્યાર સુધીમાં ૧૦ની વિકેટ પડી છે. ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં છછઁના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે.
સુરતથી છછઁના સફાયાની શરૂઆત, દિવાળી પહેલાં છછઁના ૫ ધારાસભ્યને પણ મ્ત્નઁ ખેંચી શકે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ સ્ન્છ ચૂંટાયા તેમાં જામનગર જિલ્લાની જામજાેધપુર બેઠક પરથી હેમંત ખવા, જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી, ભાવનગરના ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવા જિત્યા હતા. આ તમામ હાલ ભાજપના ટાર્ગેટ પર હોવાનું કહેવાય છે.
Recent Comments