અમરેલી

સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન અને નેત્રઆરોપણ કેમ્પ યોજાયો

સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન અને નેત્રઆરોપણ કેમ્પ યોજાયો.  શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્રનિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૬૫  દદીઁઓએ  લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન  માટે ૨૮ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબિર ટેકરીનાં મહંત શ્રી નારાયણ સાહેબ લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી ભુપતભાઇ ભુવા તથા શરદભાઈ વ્યાસ રમેશભાઈ ગોલ અશ્વિનભાઈ ડોડીયા એમ એમ પટેલ દર્શનભાઈ તથા વિશાલભાઇ વ્યાસ  જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા મેહુલભાઈ ત્રિવેદી તથા પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ અતુલભાઈ દવે હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરીના સ્વયંમસેવકો વગેરેએ  સેવા આપી હતી… આમ તો આ  કેમ્પ દર મહિનાના ત્રીજા રવિવારે છેલ્લા ૧૧ વર્ષથી યોજાતો હતો. પરંતુ હવે દર મહિનાના ત્રીજા ગુરુવારે યોજાશે.

Related Posts