જાે તમારું PAN નિષ્ક્રિય થઈ જાય તો આ સ્ટેપ્સ અનુસરી ફરીથી એક્ટિવ કરી શકો
પાન કાર્ડ ને બાયોમેટ્રિક આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૩ હતી. આ પ્રક્રિયા ૧,૦૦૦નો દંડ ચૂકવીને પૂર્ણ કરી શકાતી હતી. જે કરદાતાઓએ આ તારીખ સુધી બંનેને લિંક કર્યા નથી તેઓ આવકવેરા સંબંધિત કેટલીક સેવાઓનો લાભ લઈ શકશે નહીં. જાે કે, એવું નથી કે હવે પાન કાર્ડ નો ઉપયોગ કરી શકાશે નહીં. તમે હજુ પણ દંડ ભરીને સરળતાથી તમારા પાન કાર્ડ ને સક્રિય કરી શકો છો.જાે તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે તો તમે અમુક સેવાઓનો લાભ લઈ શકશો નહીં જ્યાં તમારો પાન કાર્ડ નંબર દાખલ કરવો ફરજિયાત છે. તેમજ જાે તમે હજુ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ૈં્ઇ) ફાઈલ કર્યું નથી તો તમે તમારા પાન કાર્ડ ને આધાર સાથે લિંક કર્યા પછી જ ૈં્ઇ ફાઈલ કરી શકશો. શું છે આનો નિયમ તે પણ જાણો… ૧ જુલાઈ, ૨૦૨૩ થી, પાન કાર્ડ એ લોકો માટે નિષ્ક્રિય થઈ ગયું છે જેઓ તેને આધાર સાથે લિંક કરવામાં નિષ્ફળ ગયા છે. તેમજ ટીડીએસ (્ટ્ઠટ ઙ્ઘીઙ્ઘેષ્ઠંીઙ્ઘ ટ્ઠં ર્જેષ્ઠિી) અને ્ઝ્રજી (્ટ્ઠટ ર્ષ્ઠઙ્મઙ્મીષ્ઠંીઙ્ઘ ટ્ઠં ર્જેષ્ઠિી) ઊંચા દરે કાપવામાં આવશે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ મુજબ તમામ પાન કાર્ડ ધારકો જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી તો પણ તેમના પાન કાર્ડ ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નક્કી કરવામાં આવ્યું છે.
પેનલ્ટી ભર્યા બાદ કરદાતા પોતાનો પાન કાર્ડ એક્ટિવેટ કરી શકે છે. આ પ્રક્રિયા નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (દ્ગજીડ્ઢન્) પોર્ટલ પર મુખ્ય હેડ ૦૦૨૧ (કંપનીઓ સિવાયની આવક વેરો) અને માઇનોર હેડ ૫૦૦ (અન્ય રસીદો) સાથે ચલાન નંબર ૈં્દ્ગજી ૨૮૦ હેઠળ રકમ ચૂકવીને કરી શકાય છે.પાન કાર્ડ કેવી રીતે ફરીથી એક્ટિવ કરવું?.. ૨૮ માર્ચ, ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી ભર્યા પછી, નિર્ધારિત અધિકારીઓને આધાર કાર્ડની જાણ કરીને ૩૦ દિવસની અંદર પાન કાર્ડને ફરીથી સક્રિય કરી શકાય છે. આવો જાણીએ પ્રક્રિયાપ આ માટે તમારે પહેલા આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર તમારા એકાઉન્ટમાં લોગઈન કરવું પડશે. ત્યારબાદ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાના વિકલ્પ પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કર્યા પછી, તમને વ્યક્તિગત માહિતી માટે પૂછવામાં આવશે. તમામ કોલમમાં માંગણી મુજબની વિગતો ભર્યા બાદ ૧૦૦૦ રૂપિયા દંડની રકમ ભરવાની રહેશે. અહીં તમે ઇ-પે ટેક્સ દ્વારા પેનલ્ટીની રકમ ચૂકવી શકો છો. આ માહિતી આવકવેરા વિભાગને આપવાની રહેશે.
Recent Comments