ગુજરાત

ગાંધીનગર-મહુડી હાઇવે પર આવેલા પવિત્ર અમરનાથ ધામ સુધી અમદાવાદથી કાવડ પદયાત્રા

શિવ આરાધના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગંગાજલ લઈને ૫૫ કિલોમીટરની પદયાત્રા માં જાેડાયા ગંગાજળ ભરેલ ૮૦૦ થી વધુ કળશ સાથે એક સરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરેલ કાવિડયાઓને નિહાળવાનો આ અનોખો અવસર અમદાવાદમાં સર્જાયો છે. ખુલ્લા પગે ચાલીને આવેલ કાવડીયાઓ દ્વારા ગાંધીનગગર નજીકના પવિત્ર અમરનાથ ધામમાં આવેલા અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ પર જલાભિષેક થશે. અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા નાગરવેલ હનુમાન મંદિરથી શરૂ થઈ, ખોડિયારનગર, નરોડા પાટીયા, ગેલેક્ષી હોટલ અંડર બ્રીજ, એરપોર્ટ રોડ, ઈન્દિરા બ્રીજ, શંખ મંદિર, કોબા સર્કલ, રાજપુત ભવન, થ રોડ, પેથાપુર સર્કલ થઈ પવિત્ર અમરનાથ ધામ પહોચશે.

અમદાવાદ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાતમાં હિરદ્વારની પ્રસિધ્ધ કાવડ યાત્રાની જેમ જ એક ભવ્ય કાવડ યાત્રા સતત ૯ વર્ષથી યોજવામાં આવે છે. રાજ્યમાં નવમી શિવ આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે, ‘વિશ્વ કલ્યાણ સંસ્થા – અમરનાથ ધામ’ તથા ‘જય અંભે કાવડ પદયાત્રા સંધ’ દ્વારા નાગરવેલ હનુમાન મંદિર, અમરાઈવાડીથી ૨૦, ઓગસ્ટ ૨૦૨૩, રવિવારે સવારે ‘શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા’નો આરંભ કરવામાં આવ્યો હતો. લગભગ ૪૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કાવડ લઈને શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર અમરનાથ ધામ પહોંચશે. દરેક કાવડીયાઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને, ગંગાજળના છ ધારણ કરીને, ખુલ્લા પગે ૫૫ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીનગર મહુડી હાઇવે પર આવેલા પવિત્ર અમરનાથ ધામ પહોંચશે. અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા વિશે વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ ધામના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ પટેલે કહ્યુ હતુ કે, ભારતમાં કાવડ પદયાત્રાનું અનોખુ મહત્વ છે.

પવિત્ર શ્રાવણ માસમાં બાબા વૈધનાથ ધામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજયોમાં લાખોની સંખ્યામાં કાવડીયાઓ કાવડ લઈને જલ ચઢાવવા માટે શિવ મંદિરોમાં જતા હોય છે. આમ ગુજરાતમાં પ્રથમ શરૂ કરવામાં આવેલ શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા આ વખતે નવમા વર્ષમાં પ્રવેશી રહી છે.

Related Posts