તા.૨૧/૦૮/૨૦૨૩ ના રોજ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરવા જનાર મહિલા દર્દી ને તેના જીવનની કઠીન ક્ષણોમાં શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવેલ હતા. જ્યાં ડો.પ્રદીપ બારૈયા દ્રારા તપાસ કરતા દર્દીની હાલત અત્યંત નાજુક જણાઈ હતી જેથી તાત્કાલિક દર્દી ને આઈ.સી.યુ. માં દાખલ કરી વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતું જ્યાં તેમની સતત આઠ દિવસ સુધી સારવાર કરી તા.૨૯/૦૮/૨૦૨૩ ના રોજ દર્દી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ હતી.
દર્દી ને જીવનની અંતિમ કટોકટીની ક્ષણોમાંથી બચાવી સ્વસ્થ કરવા બદલ દર્દી ના સગા એ ડો.પ્રદીપ બારૈયા તથા ડો.સુરભી ચાવડા તથા તેમની ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments