અમરેલી

સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે યજ્ઞ કરાયો…

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આત્મનિર્ભર ભારતના પ્રણેતા, નવા ભારતના શિલ્પકાર અને આપણાં ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા  સાવરકુંડલા/લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અટલધારા કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞમાં બ્રહ્મસમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, ન. પા. ના તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટેની પ્રાર્થનાઓ કરી હતી.

Related Posts