જેમા સવારે મંગળા દર્શન બાદ પલના નંદ મહોત્સવ મા ગામે ગામથી કીર્તન વાળા આવી કિર્તન ની રમઝટ ભાવપૂર્વક બોલાવીને પ્રભુને ખુબ જ લાડ લડાવી વૈષ્ણવો ને મુગ્ધ કરી દીધા હતા. બહોળી સંખ્યામાં વૈષ્ણવો ભાવવિભોર થઈ નંદ મહોત્સવનો આનંદ માણેલ. ત્યાર બાદ પુરૂષોતમલાલજી મહારાજને તીલક માળાજી મનોરથી દ્વારા અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ પાદુકાજીને કેસર સ્નાન કરાવી દરેક વૈષ્ણવો ધન્યતા અનુભવી. પછી રાજભોગ આરતી મા તીલક આરતી થયેલ તથા પધારેલા તમામ વૈષ્ણવો મહાપ્રસાદ લઈ ભાગ્યવાન બન્યા હતા.
આગામી ભાદરવા વદ ૧૨ને બુધવાર તારીખ ૧૧-૧૦-૨૩ રાજુબાવાના સાનિધ્યમાં દાન, મનોરથ તથા સમૂહ માળા પહેરામણી નુ આયોજન ની જાહેરાત કમિટિ દ્વારા કરવામાં આવેલ છે. મહાપ્રભુજી બેઠકજી માં વિવિધ મનોરથો ના આયોજન થઈ રહ્યાં છે જે માટે સાવરકુંડલા ના વૈષ્ણવો ખુબ જ આનંદ ની લાગણી અનુભવી રહ્યાં છે, જેમાં વૈષ્ણવો તન-મન-ધનથી સહકાર આપી રહ્યાં છે સાથોસાથ પત્રકાર ભાઈઓ દ્વારા પણ પુરો સાથ મળી રહ્યો છે જે બદલ કમિટિના સમગ્ર ભાઈઓ દરેક નો ખુબ આભાર માનેલ તેમ રાજુભાઈ શીંગાળાની યાદી માં જણાવ્યું હતું.
Recent Comments