ખંભાળિયાના ૭૭ વર્ષીય ગિરુભા જાડેજા ૪૫૦ કિમીની પદયાત્રા માત્ર ૭ દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/10/File-02-Page-11.jpg)
ખંભાળિયામાં સફેદ વાળ અને દાઢી હોઈ એટલે ગિરુભાબાપુ ૭૭ વર્ષની ઉંમરે પણ ગજબનો જાેશ અને જુનુંન કોઈ થાક નહીં કોઈ આળસ નહીં યુવાનો ને થકવી દે તેવા જુસ્સા સાથે તેઓ ૭૭ વર્ષની ઉંમરે પણ ક્રિકેટ રમતા યુવાનો સાથે દેખાય છે. મા આશાપુરમાં અનન્ય શ્રધ્ધા સાથે તેઓ જામખંભાળિયાથી કચ્છ જતા માતાનામઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શને જવા નીકળ્યા છે. માતાના મઢ સુધી પગપાળા જવાનું આ તેમનું ૨૯ મું વર્ષ છે.
૪૫૦ કિમીની યાત્રા તેઓ માત્ર ૭ દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે. ૪૫૦ કિમીનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે. ગીરૂભા જાડેજા ૭૭ વર્ષીય ક્ષત્રિય આગેવાન છે, જેઓ છેલ્લા ૨૯ વર્ષ પગપાળા યાત્રા કરે છે. આ વર્ષમાં સતત ચાલતા પદયાત્રાની શરૂઆત શ્રી ખામનાથ મહાદેવના મંદિર અને માં આશાપુરાના દર્શન કરી આજે પદયાત્રા માટે યુવાનો સાથે માતાના મઢે જવા પ્રયાણ કર્યું. ગિરુભાની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપુત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા મિત્રો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
Recent Comments