રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી. પંચમહાલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો થયો હોવાનો ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે. એક જ ઉમેદવારનું નામ મેરિટમાં બે વાર દર્શાવવામાં આવતાં ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે. મેરિટમાં ન આવેલા ઉમેદવારોની અપીલ ધ્યાને ન લેવાતા વિવાદ વધ્યો છે. અપીલ ગ્રાહ્ય ન રહેતા મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો છે. આ સાથે ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ કરવામાં આવી છે.
પંચમહાલમાં આંગણવાડી અને કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો

Recent Comments