અમરેલી

કેન્દ્રની ભાજપ સરકાર MSP મુદ્દે ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ભારત દેશના ખેડૂતો MSP ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને MSP આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને MSP આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી આવતા શા માટે રોકવામાં આવ્યા છે અને એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો હોવા છતાં પણ નરેન્દ્ર મોદી સરકારે નિર્ણય કર્યો નથી, આ બાબત સાબિત કરે છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને MSP આપવાની કોઈ જ ઈચ્છા નથી, માત્ર ને માત્ર લોકસભા ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે ત્યાં સુધી સમય પસાર કરીને ભારત દેશના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે, જો નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની MSP તથા અન્ય માંગો સમયસર સ્વીકારશે નહીં તો ભારત દેશના ખેડૂતો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેશે તેમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ જણાવ્યું છે

Related Posts