અમરેલી

ગુજરાત રાજ્ય સહકારી સંધ ના ડિરેકટર મનીષભાઈ સંઘાણી પધાર્યા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ગુજરાત રાજ્ય સહકારી સંધ ના ડિરેક્ટર અમરેલી જિલ્લા સહકારી સંધ ના ચેરમેન મનીષભાઈ સંધાણી પધાર્યા પુસ્તકાલય માં પધારેલ યુવા સહકારી અગ્રણી નું મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો પુસ્તકાલય ની અનેક વિશેષતા જાણી ખૂબ પ્રભાવિત થતા સહકારી અગ્રણી મનીષભાઈ સંધાણી એ પુસ્તકાય સ્વચ્છતા ગોઠવણ દરેક વિભાગો અપ્રાપ્ય આઉટ ઓફ પ્રિન્ટ પુસ્તકો વ્યક્તિ વિકાસ વિશાળ પુસ્તક સંપૂટ થી સમૃદ્ધ પુસ્તકાલય વ્યવસ્થા નીહાળી હતી હજારો મહાપુરુષો ના વિચારો નું સાનિધ્ય વચ્ચે આવી અદભુત અનુભૂતિ થયા ની ખુશી વ્યક્ત કરી હતી મોબાઇલ ના યુગ માં પણ આટલી બધી વ્યકિત ઓની સતત વાંચકો વિદ્યાર્થી ઓની ચહલ પહલ થી અચરજ પામી ગયા હતા સ્વામી નારાયણ ગુરૂકુળ ના વિમલ પંડ્યા સહીત ના અમરેલી સહકારી ક્ષેત્રે સેવારત યુવાનો અગ્રણી સાથે મનીષભાઈ સંધાણી એ મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને ગૌરવંતા જ્ઞાન મંદિર ગણાવ્યું હતું

Related Posts