કેન્દ્રીય તપાસ એજન્સી ઝ્રમ્ૈંએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સમન્સ મોકલ્યા છે. ગેરકાયદે ખનન કેસમાં એસપી ચીફને સમન્સ મોકલવામાં આવ્યા છે. અખિલેશને સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સીબીઆઈએ અખિલેશને આવતીકાલે એટલે કે ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે જવાબ આપવા માટે ઝ્રમ્ૈં સમક્ષ હાજર થવું પડશે.
સમાજવાદી પાર્ટીના વડાને જાન્યુઆરી ૨૦૧૯માં નોંધાયેલી ઝ્રમ્ૈં હ્લૈંઇના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યા છે, જે ૨૦૧૨-૨૦૧૬ વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે. જાન્યુઆરી ૨૦૧૯ માં, તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય સહિત ઘણા અધિકારીઓ સામે એફઆઈઆર નોંધ
વામાં આવી હતી. હ્લૈંઇમાં આરોપ છે કે સરકારી કર્મચારીઓએ હમીરપુરમાં ખનીજનું ગેરકાયદેસર ખનન થવા દીધું.
હાઈકોર્ટે ૨૮ જુલાઈ, ૨૦૧૬ના રોજ આદેશ આપ્યો હતો, ત્યારબાદ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ૧૨૦મ્, ૩૭૯, ૩૮૪, ૪૨૦, ૫૧૧ ડીએમ હમીરપુર, ભૂસ્તરશાસ્ત્રી, ખાણકામ અધિકારી, કારકુન, લીઝ ધારક અને ખાનગી અને અજાણ્યા વ્યક્તિઓ સામે. ભ્રષ્ટાચાર નિવારણની કલમ ૧૩(૧), (ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
૫ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ, સીબીઆઈએ ૧૨ સ્થળોએ દરોડા પાડ્યા અને ઘણી રોકડ અને સોનું મળી આવ્યું. ઝ્રમ્ૈંએ ઝ્રિઁઝ્ર ૧૬૦ હેઠળ આ કેસમાં અખિલેશને સાક્ષી તરીકે બોલાવ્યા છે. અખિલેશ યાદવ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તે જ સમયે, ૨૦૧૨ થી ૨૦૧૩ સુધી, તેઓ રાજ્યના ખાણકામ મંત્રી હતા.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બુધવારે ભાજપ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે પાર્ટી ઈન્ડિયા બ્લોકથી ડરે છે અને અન્ય પાર્ટીઓને તોડી રહી છે. અખિલેશ યાદવે મંગળવારે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ક્રોસ વોટિંગ કરનારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે યુપીમાં ૧૦માંથી ૮ બેઠકો કબજે કરી હતી, જ્યારે સપાએ ૨ બેઠકો જીતી હતી. સપાના ત્રીજા ઉમેદવારનો પરાજય થયો હતો. સપાના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
દરમિયાન એસપી માટે પણ રાહતની વાત સામે આવી છે. બહુજન સમાજ પાર્ટીના નેતા અને મુબારકપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શાહઆલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીએ લોકસભા ચૂંટણી પહેલા પક્ષ બદલ્યો છે. તેઓ બુધવારે લખનૌમાં પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જાેડાયા હતા.
Recent Comments