અમરેલી

કુંકાવાવ તાલુકામાં અંદાજિત રૂ. ૨૫૦૦ લાખથી વધુના ખર્ચે બનનારા પાકા રસ્તાનું ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ ખાતમુહૂર્ત કર્યુ

અમરેલી-કુંકાવાવ-વડિયાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે કુંકાવાવ તાલુકામાં રોડ રસ્તાના મેરેથોન વિકાસકાર્યોનું એકબાદ એક ખાતમુહૂર્ત થયું છે. વર્ષોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવતા કૌશિકભાઈ વેકરીયાએ તાજેતરમાં જમાં તાલુકાના વાવડી-બાદનપુર, ખજુરી-પીપળીયા-ખડખડ, તરઘરી-ખજુરી-પીપળીયા, તરઘરી-મેઘા પીપળીયા, ખજુરી-સુલતાનપુર વચ્ચે નોન પ્લાન (કાચાથી પાકા) માર્ગનું ખાતમુહૂર્ત કર્યુ છે. તેમજ આજે   જુના બાદનપુર થી બાંભણિયા રોડ તેમજ જંગર થી અમરાપુર રોડ કામનું ખાત- મહુર્ત  તથા લુણીધારથી જીથુડી વચ્ચે રિસર્ફેસીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું છે.  કુંકાવાવ તાલુકાને વિકાસની મુખ્યધારા સાથે જોડવાના સંકલ્પ સાથે કર્તવ્યબદ્ધ ધારાસભ્ય કૌશિકભાઈએ આ વિસ્તારમાં અંદાજિત રૂ. ૨૫૦૦ લાખના ખર્ચે ૦૭ રસ્તાનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારની વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવશે.

                  વિધાનસભામાં પ્રવેશ કર્યા બાદ વિકાસ માટે તત્પર રહેતા યંગ અને ડાયનામિક નેતા કૌશિકભાઈ દિવસ રાત પોતાના વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ વિસ્તારના આગેવાનોની માંગણીને ધ્યાને લેતા કૌશિકભાઈ વેકરીયાની રજૂઆત બાદ વાવડી-બાદનપુર નોન પ્લાન રોડ ૩ કિલોમીટર આશરે રૂ. ૨૩૦ લાખ, ખજુરી-પીપળીયા-ખડખડ ૦૪ કિલોમીટર નોન પ્લાન રોડ આશરે રૂ. ૩૨૦ લાખ, તરઘરી-ખજુરી-પીપળીયા નોન પ્લાન રોડ ૪૫ કિલોમીટર આશરે રૂ. ૩૪૦ લાખ, ખજુરી-સુલતાનપુર નોન પ્લાન રોજ ૬ કિલોમીટર આશરે રૂ ૪૩૫ લાખના ખર્ચે તૈયાર થશે, જ્યારે ગુરૂવારે સવારે લુણીધાર-જીથુડી વચ્ચે રૂ.૯૦ લાખના ખર્ચે ૦૩ કિમીના માર્ગનું રિસર્ફેસીંગનું ખાત-મહુર્ત કરવામાં આવ્યું તેમજ  આજરોજ  જુના બાદનપુર થી બાંભણિયાનું ૫ કિલોમીટરની વધુનો રોડ ૪૨૫ લાખ તેમજ જંગર થી અમરાપુર રોડ અંદાજીત ૭ કિલોમીટર જેટલા રોડનું ૬૫૦ લાખ આમ કુલ મળીને ૨૫૦૦ લાખથી વધુના ખર્ચે કુંકાવાવ તાલુકામાં નવા રસ્તાનું કામનું ખાત મહૂર્ત સંપન્ન થતા છેવાડાના માનવીની સુવિધામાં ઉતરોત્તર વધારો થશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક સંરપંચો, સભ્યો અને અગ્રણીઓ જોડાયા હતા.

Related Posts