અમરેલી

સાવરકુંડલા શહેર અને તાલુકા માં ઉનાળા દરમિયાન ખેતાણી પરિવાર દ્વારા અલગ -અલગ છ જગ્યાએ 2500 પરિવારો ને દરરોજ છાશ વિતરણ કરવામાં આવી રહી છે

સાવરકુંડલા ખાતે ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવર કુંડલા વાળા (હાલ મુંબઈ) દ્વારા સાવરકુંડલા આસપાસ ના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઠંડી છાશ 2500 પરિવારો ને વિતરણ કરવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેરના શિવાજીનગર ખાતે જલારામ મંદિર, મહાકાળી ચોક ખાતે ઉતાવળા હનુમાનજી આશ્રમ, કેવડાપરા ખાતે ગાયત્રી મંદિર, નેસડી રોડ રઘુવંશી પરા ડૉક્ટર જાની ના ઘરે, કમાંબાપા ની વાડી તેમજ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સનાતન આશ્રમ પૂજ્ય જ્યોતિમૈયા માતાજી ના સાનિધ્ય માં 2500 પરિવારો ને દરરોજ છાશ વિતરણ વિનામુલ્યે કરવામાં આવી રહી છે. તમામ જગ્યાએ સવારના સાડા 6:30 કલાકે છાશ કેન્દ્ર શરૂ થાય છે. ઉલ્લેખનીય  કે આ ઉનાળા ની ગરમી માં છાશ ઘણી રાહત આપે છે ત્યારે આ દાતાઓ દરરોજ અંદાજે 10,000 લોકોની આંતરડી ઠારે છે. આ કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી અનેક લોકોને ઉપયોગી થવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ દાતા આપી રહ્યા છે.

Related Posts