રાષ્ટ્રીય

બંગાળની ખાડી પર એક ગંભીર ચક્રવાતની આગાહી; ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડવાની સંભાવના

ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી પર એક લો પ્રેશર વિસ્તાર બનતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ૨૨ મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તેની આગાહી કરી છે. એક અહેવાલમાં ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાને ટાંકીને જણાવ્યું કે, લો પ્રેશર વિસ્તાર ચોમાસાને આંદમાન સાગર અને તેને અડીને આવેલા બંગાળની ખાડી પર આગળ વધવામાં મદદ કરશે. જો કે, આનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત પર કોઈ અસર થશે નહીં.

તેમણે કહ્યું કે આનાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર અસર પડશે. આ હવામાન પેટર્ન પછી ચક્રવાતમાં પરિવતિર્ત થવાની સંભાવનાને નકારી શકાય એમ નથી, કારણ કે મે મહિનાને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે. તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી અત્યારે ખૂબ જ જલ્દી ગણાશે. જો કોઈ ચક્રવાત બને છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરનું અત્યારે અનુમાન લગાવી શકાય નથી, કારણ કે તે તેના માર્ગ અને તીવ્રતા પર ર્નિભર રહેશે.

Related Posts