ભાવનગર

શેત્રુંજીડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ બે યુવાનોને ભારે મહેનત બાદ શોધી કાઢતા મોટી પાણીયાળીના યુવાનો

 યવાનોની જોખમી સેવાને બિરદાવતા મામલતદારશ્રી અને પી.એસ.આઇ તેમજ ડેપ્યુટી એન્જિનિયર

          સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં ઊંડા પાણીમાં ગઈકાલે બે યુવાનો ડૂબી ગયા હોવાથી તેમને શોધી કાઢવા માટે પાલિતાણા તંત્ર દ્વારા સાંજે મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળા ના આચાર્ય બી. એ.વાળાને જાણ કરતા તેઓ સાથી યુવાન મિત્રો સાથે રાત્રે દસ ત્રીસ કલાકે સ્થળ ઉપર પહોંચી ફાયર બ્રિગેડના મયંકભાઇ અને ટીમની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ રાત્રે એક વાગ્યા સુધી ઊંડા પાણીમાં સખત મહેનત કરવા છતાં સફળતા ન મળતાં કામગીરી સ્થગિત કરવામાં આવી હતી જે સવારે છ વાગ્યાથી આચાર્ય બી. એ .વાળા , કરણભાઈ ખેરાળાં ,જયવંતસિંહ વાળા,વિપુલભાઈ વાઘેલા,શૈલેષભાઈ વાઘેલા,રાહુલભાઇ મકવાણા,હિતેશભાઈ મકવાણા ,કિશોરભાઈ અને લાભુભાઈ તેમજ અશ્વિનભાઈ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી હતી એક ડેડબોડી સવારે અને સતત મહેનત બાદ બીજી ડેડબોડી બપોરે ત્રણ વાગ્યે શોધી કાઢવામાં સફળતા મળી હતી.

     મોટી પાણીયાળી ના આચાર્ય અને યુવાનોએ મોડી રાત સુધી અને વહેલી સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી સખત અને જોખમી મહેનત બાદ રેસ્ક્યુમાં સફળતા મળતાં મામલતદારશ્રી કે.એમ.વાળંદ અને રૂલર પોલીસના પી.એસ.આઇ શ્રી ગુર્જર  અને સિંચાઇ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર બાલધિયા  તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના દશરથસિંહ દ્વારા મોટી પાણીયાળી ટીમના તમામ યુવાને રૂબરૂ મળીને ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts