સાવરકુંડલા: દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના ધોરણ-૧ થી લઈને અનુસ્નાતક તેમજ અન્ય ઉચ્ચ પદવી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાશે. આ કાર્યક્રમ આગામી તા. ૪ ઓગષ્ટના રોજ યોજાનાર છે.આ સમારંભમાં બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવશે. તેમને પ્રશસ્તિપત્ર અને ઇનામો આપી તેમનો હોસલો વધારવામાં આવશે.આ સમારંભ નો મુખ્ય હેતુ બ્રહ્મ સમાજના યુવાનોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાની અને તેમને સમાજમાં ઉત્તમ નાગરિક બનવા માટે પ્રેરણા આપવાનો છે.સાવરકુંડલાના બ્રહ્મસમાજ સમુદાયના આગેવાનો અને શૈક્ષણિક વિદ્દો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ એક ઉત્તમ પ્રસંગ છે જે બ્રહ્મ સમાજના યુવાનોને તેમની શૈક્ષણિક સિદ્ધિઓનો ઉજવણી કરવાની અને સમાજના અન્ય લોકો માટે પ્રેરણા બનવાની તક આપે છે
સાવરકુંડલામાં પરશુરામ સેના દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

Recent Comments