તાલુકાની પ્રસિદ્ધ ગણેશ શાળા ખાતે ગુરુપૂર્ણિમા ના દિન વિશેષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જુનાગઢ થાણાપતિ ગુરુશ્રી લહેરગીરીબાપુએ મંગલ દીપ પ્રાગટ્ય કરી બાળકો સમક્ષ જીવન સંસ્કારની વાતો કરી હતી. આ સમારંભમાં બાળકોએ પણ જીવનમાં ગુરુની મહત્તા અને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા પ્રવચનો કર્યા હતા . આ શાળામાં શિક્ષકોના માર્ગદર્શનમાં પ્રતિવર્ષ ધામધૂમથી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવીને બાળકોને પોતાના જીવનમાં ગુરુઓની રહેલી મહત્તા અને તેનું મહત્વ ઉજાગર કરાય છે.
ગણેશ શાળા ટીમાણા ખાતે લહેરગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી

Recent Comments