ભાવનગર

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષતામાં ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના’ લક્ષ્યાંકના આયોજન અંગે બેઠક યોજાઈ

ભાવનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષતામાં ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના’ વર્ષ ૨૦૨૪-૨૫ના લક્ષ્યાંકના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ભાવનગરના યુવાનોને કૌશલ્યસભર બનાવવા તથા ઇન્ડ્રસ્ટ્રીઝને કુશળ માનવ બળ મળી રહે તે હેતુસર પાત્રતા ધરાવતા યુવાનો ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના’ નો મહત્તમ લાભ લે તે રીતનું સુચારૂં આયોજન કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. ગત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં કુલ મેન પાવરના ૧૫ ટકા સુધી
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ભરતી કરાવવા અંગે ફાળવેલ લક્ષ્યાંક સામે થયેલ સિધ્ધિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં એક્ષ-ઓફીસીઓ તેમજ ભાવનગર ઓદ્યોગિક તાલીમ સંસ્થાના નોડલ અધિકારીશ્રી ટી.ડી.વ્યાસે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના’ ની જિલ્લામાં થયેલી કામગીરી તેમજ “સ્કિલ ઈન્ડીયા” અંતર્ગત રાજ્યકક્ષાથી એક્ઝેપ્લરી પરફોર્મન્સ એવોર્ડ ભાવનગર જિલ્લાને એનાયત થયો હોવાની જાણકારી આપી હતી તથા આઈ. ટી. આઈ. ભાવનગર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીની ફ્લેગશીપ યોજનાના અસરકારક અમલીકરણમાં વિશિષ્ટ યોગદાનની માહિતી સભર વિગતો રજુ કરી હતી. આસિસ્ટન્ટ એપ્રેન્ટિસશીપ એડવાઈઝરીશ્રી પી. એમ. પંડિતે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના’ની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, ખાણ અને ઉદ્યોગ, શિક્ષણ, પોર્ટ, ગૃહ અને આરોગ્ય સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts