અમરેલી જિલ્લાની તમામ ૧૨ આઈ.ટી.આઈ ખાતે સત્ર-૨૦૨૪ માટે પ્રવેશ મેળવવા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ધો. ૮ અને ધો.૧૦ પાસ ઉમેદવારોએ તા.૨૭.૦૭.૨૦૨૪ થી તા.૦૨.૦૮.૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરવી. જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઇ.નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જિલ્લામાં અમરેલી, લાઠી, લીલીયા, બાબરા, બગસરા, ધારી, કુંકાવાવ, વડિયા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ ખાતે આઈ.ટી.આઈ. છે. ઉમેદવારો સરળતાથી પ્રવેશ ફોર્મ ભરી શકે તે માટે આ આઈ ટી આઇ ખાતે હેલ્પ સેન્ટરની સુવિધા પણ છે. તેમ અમરેલી આઈ.ટી.આઈ. આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
અમરેલી જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા માટે પ્રક્રિયા શરુ

Recent Comments