વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલી છે. જિલ્લામાં આ યોજના અન્વયે આઇ-ખેડૂત પોર્ટલ મારફતે અત્યાર સુધીમાં ૬૩ અરજીઓ મળી છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન સહાય યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક હોય તે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવી. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના અંદાજપત્રમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રુ. ૧,૦૦૦ લાખની જોગવાઇ છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અન્વયે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રુ. ૨૦ હજાર સહાય ચૂકવવામાં આવશે. અમરેલી જિલ્લામાં ખેડૂતો આ નવી યોજના અન્વયે http://ikhedut.gujarat.gov.in પોર્ટલ મારફત અરજી કરી શકે છે.
અમરેલી જિલ્લો : શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

Recent Comments