ભાવનગરમાં તેમજ ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમ ની કામગીરી અર્થે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા 28,000 બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 2024 માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર કાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.
વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે પોલીસે એકાઉન્ટ ફીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે,
મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના અકાઉન્ટ અનફીઝ થઈ જવાનાકારણે એટલે કે ખૂલી જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટક ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કસના આધારે આ અકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતઃ અનફીઝ કરવામાં આવશે. વધુમાં ભાવનગર જિલ્લામાં થયેલ સાયબરક્રાઇમની કામગીરી અંગે જણાવ્યું હતું કે તા. ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં ૭૦૦૦ થી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ મળી હતી જેમાંથી ૬૦૦૦ થી વધુ
અરજીઓમાં આશરે ૧,૮૩,૭૦,૦૦૦ કરોડ રૂપિયા અનફીઝ કરવામાં આવ્યા છે. સાયબર ફ્રોડના ગુનાઓ અટકે એ હેતુથી ૨૪ જેટલા અવેરનેસ કાર્યકમો શાળા, કોલેજ અને મોટી કંપનીઓમાં કરવામાં આવ્યા છે. ૮૫૦૦ થી વધુ લોકોને આ અંગે તાલીમો આપવામાં આવી છે.
Recent Comments