કોલકાતામાં એક ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. એક અરજી પર સુનાવણી કરતા કોર્ટે પીડિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. અરજદારે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી શકાય નહીં. તેમ છતાં પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. જે બાદ ઝ્રત્નૈંએ તેને હટાવવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટરનો ફોટો અને તેમના પરિવારની ઓળખ જાહેર કરવાથી પરિવારની પ્રતિષ્ઠાને અસર થઈ રહી છે. મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે સાથે કેન્દ્ર સરકારના ઘણા મંત્રાલયોને પણ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અગાઉ, કલકત્તા હાઈકોર્ટે લોકોને પીડિતાની ઓળખ જાહેર ન કરવાની અપીલ કરી હતી અને તેમને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનું ટાળવા કહ્યું હતું. અગાઉ, સુપ્રીમ કોર્ટે પોતાનું સંજ્ઞાન લીધું હતું અને આજે કોલકાતા ઘટના કેસની સુનાવણી કરી હતી.
કોર્ટે ઘટના સાથે જાેડાયેલા અનેક પાસાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈ પાસેથી ૨૨ ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવું લાગે છે કે ગુનાની વહેલી સવારે ખબર પડી હતી, પરંતુ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો.
આ સાથે કોર્ટે કહ્યું કે જ્યારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલની વર્તણૂકની તપાસ ચાલી રહી છે, તો પછી તેમને તાત્કાલિક અન્ય કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે આ ઘટના બાદ રાષ્ટ્રવ્યાપી વિરોધોએ ડોકટરો માટે સંસ્થાકીય સુરક્ષાના અભાવના મુદ્દા પર દરેકનું ધ્યાન દોર્યું છે. કોર્ટે કહ્યું કે મેડિકલ એસોસિએશને આ મુદ્દો સતત ઉઠાવ્યો છે. એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે તેમની ફરજાે નિભાવતી વખતે, તબીબી વ્યાવસાયિકો હિંસાનું કમનસીબ લક્ષ્ય બની જાય છે.
Recent Comments