મોકર પોરબંદરમાં યોજાયેલ બ્રહ્મસમાજ સમારંભમાં કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા આશીર્વાદ ઉદ્બોધન અપાયું. અબોટી બ્રાહ્મણ વિકાસ સંસ્થા દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજાઈ ગયો.શ્રી અબોટી બ્રાહ્મણ વિકાસ સંસ્થા પોરબંદર દ્વારા જ્ઞાતિનાં વિકાસ સંદર્ભે વિવિધ આયોજનો થતાં રહે છે. મોકર પોરબંદરમાં બ્રહ્મસમાજનાં પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સમારંભમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા દ્વારા વિદ્યાર્થી બાળકોને શાસ્ત્ર સાથે સાંપ્રત શિક્ષણનાં સમન્વય વડે જીવનમાં આગળ વધવા લાગણી સભર આશીર્વાદ ઉદ્બોધન અપાયું. સંસ્થાનાં પ્રમુખ શ્રી રમેશચંદ્ર ટુકડિયા અને હોદ્દેદારોનાં સંકલન સાથે અહીંયા સુંદર આયોજન થઈ ગયું.
મોકર પોરબંદરમાં બ્રહ્મસમાજ સમારંભ શ્રી વૈશાલીબાળા

Recent Comments