૨ વર્ષ પહેલા, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ, ભારત અને ેંછઈ વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માત્ર ૮૮ દિવસની વાતચીત બાદ બંને દેશોએ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ઝ્રઈઁછ) પર હસ્તાક્ષર કર્યા, આટલા ઓછા સમયમાં થયેલો આ કરાર વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયો. પરંતુ હવે એવા સમાચાર છે કે ભારત અને ેંછઈ તેની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. માહિતી અનુસાર, બંને દેશો વચ્ચેના આ વેપાર કરારની સમીક્ષા કરવામાં આવી રહી છે કે તેના મૂળભૂત નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં.
સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર, સમીક્ષાની પુષ્ટિ કરતા સૂત્રો અને ભારતીય અધિકારીઓએ તેને સામાન્ય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો છે. ભારતીય અધિકારીએ કહ્યું છે કે આવા કરારોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. જાે કે, સમીક્ષાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ેંછઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ અલ નાહયાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે છે. રવિવારે જ, ેંછઈ ના ક્રાઉન પ્રિન્સ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત પર નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. જાે કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, ેંછઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદના પુત્ર શેખ ખાલિદ વેપાર સમીક્ષામાં ભાગ લે તેવી શક્યતા નથી.
વર્ષ ૨૦૨૨માં ભારત અને ેંછઈ વચ્ચે થયેલા આ વેપાર કરાર અંગે ભારતીય ઉદ્યોગોએ ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગોએ ેંછઈથી કિંમતી ધાતુઓની આયાતમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ બંને દેશોના અધિકારીઓ આ સપ્તાહે આ વેપાર કરારની સમીક્ષા કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ભારત અને ેંછઈ આ સપ્તાહે વેપાર કરારની સમીક્ષા કરશે, જ્યારે ેંછઈના ક્રાઉન પ્રિન્સ ભારતના પ્રવાસે છે. ભારત અને ેંછઈ એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંના એક છે, આ ગલ્ફ દેશમાં ભારતીય નાગરિકોની નોંધપાત્ર વસ્તી છે, જે ેંછઈની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપે છે. ભારત અને ેંછઈ વચ્ચેનો આ વેપાર કરાર મે ૨૦૨૨માં લાગુ કરવામાં આવ્યો હતો.
બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નવા પરિમાણ પર લઈ જવા માટે આ કરારમાં સંરક્ષણ, ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમજૂતી પછી, એવી અપેક્ષા હતી કે વર્ષ ૨૦૨૭ સુધીમાં, બંને દેશો વચ્ચે માલસામાનનો દ્વિપક્ષીય વેપાર ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી જશે. કરારના અમલ પહેલા, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં બંને દેશો વચ્ચે ઇં૭૨ બિલિયનનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ સમજૂતી હેઠળ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કસ્ટમ અને આયાત ડ્યુટી ઘટાડવા અને વેપાર માર્ગોમાં અવરોધો દૂર કરવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. આનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં બંને દેશો વચ્ચે લગભગ ૮૪ બિલિયન ડોલરનો વેપાર થયો હતો, જેનો અર્થ એ થયો કે સમજૂતીના અમલ પછી બંને દેશો વચ્ચે વેપાર એક વર્ષમાં ૧૬ ટકાનો વધારો જાેવા મળશે.
Recent Comments