સુપ્રીમ કોર્ટ બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ પ્રકાશ પડિયાની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા સવાલો ઉઠાવ્યા છે. ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક કેસની સુનાવણી કરતી વખતે, અલ્હાબાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે એવા કયા સંજાેગો છે જેના કારણે અરજદારનું ઘર કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના તોડી પાડવામાં આવ્યું.
અલ્હાબાદ કોર્ટે યુપી સરકારને આ મામલે જવાબ દાખલ કરવા કહ્યું છે. હવે હાઈકોર્ટ આ કેસની ફરી સુનાવણી ૧૮ સપ્ટેમ્બરે કરશે. આઝમગઢના સુનીલ કુમારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જમીન વિવાદ કેસમાં આઝમગઢના એડિશનલ કલેકટરે સુનીલની વાત સાંભળ્યા વિના ૨૨ જુલાઈએ તેનું ઘર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ પછી પ્રશાસને તેનું ઘર બુલડોઝર વડે તોડી પાડ્યું. સુનીલનો આરોપ છે કે તેને સાંભળવાની તક આપ્યા વિના ઉતાવળમાં તેના ઘરને બુલડોઝ કરવામાં આવ્યું હતું.
થોડા દિવસો પહેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાે કોઈ ગુનેગાર સાબિત થઈ જાય તો પણ તેનું ઘર તોડી શકાય નહીં. આ ટિપ્પણી ગુજરાતના એક કેસમાં જસ્ટિસ હૃષિકેશ રાય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની ખંડપીઠે કરી હતી. ૨ સપ્ટેમ્બરે પણ કોર્ટે જમિયત ઉલમા-એ-હિંદની અરજી પર સુનાવણી દરમિયાન આવી ટિપ્પણી કરી હતી, જેમાં કાયદાનું પાલન કર્યા વિના દેશના વિવિધ ભાગોમાં આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની ફરિયાદો કરવામાં આવી હતી. પ્રક્રિયા જેના પર જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે તે આ અંગે સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરશે.
Recent Comments