અમરેલી

બ્રહ્મસેના સાવરકુંડલા નો  શક્તિ નવરાત્રિ મહોત્સવ ભક્તિ અને સમાજસેવાનું અદભુત સંગમ

સાવરકુંડલા બ્રહ્મસમાજમાં બ્રહ્મ સેના દ્વારા આયોજિત શ્રી શક્તિ નવરાત્રિ મહોત્સવમાં ભક્તિના ધામધૂમ સાથે સાંસ્કૃતિક રંગો છવાઈ ગયા છે. છેલ્લા 13 વર્ષથી સતત આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે પણ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.નવરાત્રિના પ્રથમ દિવસે આ મહોત્સવ મુખ્ય દાતા દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી (એડવોકેટ) પરિવાર સાથે  માતાજીની આરતી-પૂજા કરીને મહોત્સવ નો શુભારંભ કરાવ્યો હતો. દરરોજ સાંજે ભૂદેવ દ્વારા વિશેષ પૂજા અને આરતી સાથે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં દાતાઓ, આગેવાનો અને તમામ બ્રહ્મ બંધુઓ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીની આરાધના અને ઉપાસના કરી રહ્યા છે.

આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સમાજલક્ષી કાર્યો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. બ્રહ્મ સેના દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યો હાથ ધરવામાં આવે છે. આ કાર્યને સફળ બનાવવામાં યુવાનો અને વડીલો બંને સમાન રીતે જોડાઈ રહ્યા છે.બ્રહ્મ સેના સાવરકુંડલા ના પ્રમુખ કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય અને  પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસ ભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનીતભાઇ જોષી, મંત્રી મનીષભાઈ દવે તથા સમગ્ર ટીમને આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત બદલ વડીલો દ્વારા અભિનંદન વર્ષા થઈ છે.. તેમ યશપાલ વ્યાસની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts