અમરેલી શહેર ફરતે અમરેલી-બાબરા રોડ (નેશનલ હાઇવે હસ્તક) અમરેલી-લાઠી રોડ (હાલ અમરેલી માર્ગ અને મકાન (રાજ્ય) હસ્તક) અમરેલી-સાવરકુંડલા રોડ (નેશનલ હાઇવે હસ્તક) અને અમરેલી-બગસરા રોડ (નેશનલ હાઇવે હસ્તક)ને જોડતો હયાત બાયપાસ છે.જેમાં રાજકોટ, અમદાવાદ, બાબરા-લાઠી રોડ, રાજુલા-જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, જુનાગઢ-ધારી-તુલસીશ્યામ સહિતના વિસ્તારોમાંથી આવતા વાહનો આ હયાત બાયપાસ રોડનો ઉપયોગ કરી અમરેલી શહેર વિસ્તારમાં પ્રવેશ્યા વગર પરસ્પર વિનિમય કરી શકે તેમ છે.
હાલની સ્થિતિ એ રાજકોટ તરફથી આવતા ટ્રાફિકને જો કુંકાવાવ તરફ જવું હોય તો તે માટેનો બાયપાસ ઉપલબ્ધ નથી. જેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં જો બાબરા રોડ પર નાના માચિયાળા ગામ પાસેથી ગાડા-કેડા માર્ગ પરથી સાંગાડેરી ગામથી જેશીંગપરા થઈ રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિ.મી. લંબાઈના નવા બાયપાસને માર્ગ અને મકાન વિભાગને રુ.૨૭૦.૨૬ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
હાલ આ બાયપાસ નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થવાના આરે છે તેમજ આ બાયપાસના ડી.પી.આર. બનાવવાની કામગીરી પ્રગતિ તળે છે.રુ.૨૭૦.૨૬ કરોડના ખર્ચે નવો બાયપાસ મંજૂર અમરેલી શહેર ફરતે નાના માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના રસ્તાના વિકાસ કાર્યો થતાં આ નવો બાયપાસ ચારમાર્ગીય રોડ બનશે. નાના માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધી ચારમાર્ગીય બાયપાસના નિર્માણથી પ્રાથમિક સુવિધામાં ઉમેરો થશે, તેમ અમરેલી માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments