ભાવનગર

“નમો સખી સંગમ મેળા” માંપ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત “નમો સખી સંગમ મેળા” માં ત્રીજા દિવસે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, “નમો સખી સંગમ મેળા” માં અનેક વિષય પર તજજ્ઞો દ્વારા સેમિનાર યોજીને બહેનોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજરોજ પ્રાકૃતિક કૃષિ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. “નમો સખી સંગમ મેળા”ના માધ્યમથી બહેનોનું આર્થિક સશક્તિકરણ થયુ છે. આ માત્ર મેળો નથી, પરંતુ બહેનો માટે અનેક દિશાઓમાં પગભર થવા માટેની દિશાઓનું સંગમ સ્થાન છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 2.5 લાખ સખી મંડળો કાર્યરત છે, ત્યારે બહેનો આર્થિક રીતે પગભર થઈને લખપતિ દીદી બની રહી છે.

આજે ત્રીજા દિવસે સવારના સેશનમાં પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ યોજાયું હતું. જેમાં કૃષિ વિષયક તજજ્ઞ વક્તા શ્રી કનુભાઈ ભટ્ટ અને શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અને તેના ફાયદા, જીવામૃત, ઘન જીવામૃત અને દશ પરણી અર્કની તૈયારી, પ્રાકૃતિક કૃષિ માટે ગૌ આધારિત ખેતી, બજાર જોડાણ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મૂલ્યવર્ધન વિશે માહિતગાર કર્યા હતા.

આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ, આત્માના ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts