સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. ૫૭૧ કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી
દેશની રાજધાની દિલ્હીની પૂર્વ સરકાર (આમ આદમી પાર્ટી)ના રાજમાં પીડબ્લ્યૂડીના મંત્રી રહી ચૂકેલા છછઁ નેતા સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. ૫૭૧ કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
દિલ્હીના જાેઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીબી) મધુર વર્માએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૧૭ (એ) હેઠળ પૂર્વ મંત્રી સત્યેન્દર જૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જૈને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને ૧.૪ લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂ. ૫૭૧ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં સીસીટીવી ઈન્સ્ટોલ કરવામાં વિલંબ થતાં કંપની પર આપ સરકારે રૂ. ૧૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. જાે કે, પછી જૈને રૂ. ૭ કરોડની લાંચ લઈ આ દંડ માફ કર્યો હતો.
આ મામલે એસીબીના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં સરકારી શાળાઓના ક્લાસરૂમ અને બિલ્ડિંગના બાંધકામ પાછળ રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ થયુ હતું. જેમાં ૧૨૭૪૮ ક્લાસરૂમના બાંધકામ માટે રૂ. ૮૮૦૦ પ્રતિ ચો.ફૂટના દરે સરકાર પાસેથી કિંમત વસૂલવામાં આવી હતી. જ્યારે સામાન્ય રીતે સરેરાશ બાંધકામ ખર્ચ ચો.ફૂટ દીઠ રૂ. ૧૫૦૦ હતી.
આ બાબતે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં પીડબ્લ્યૂડી દ્વારા દિલ્હીની સરકારી સ્કૂલોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાનો ખુલાસો થયો હતો. જુલાઈ, ૨૦૧૯માં ભાજપના નેતા હરીશ ખુરાના અને તે સમયે છછઁના બળવાખોર ધારાસભ્ય કપિલ મિશ્રાએ આ કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી.
તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૯ના મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા લગાવવામાં વિલંબ થતાં દિલ્હી સરકારે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. પર રૂ. ૧૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. જાે કે, ફરિયાદ અનુસાર, જૈને રૂ. ૧૬ કરોડનો દંડ માફ કરવા ઉપરાંત વધુ ૧.૪ લાખ કેમેરા લગાવવા માટે કંપની સાથે સમાધાન કર્યું હતું. કંપનીને આ રાહત આપવા માટે જૈને રૂ. ૭ કરોડની લાંચ લીધી હોવાનો દાવો છે.
Recent Comments