આ યજનામમાં યજમાન તરીકે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ અને મિત્ર મંડળે ઉત્સાહપૂર્વક સેવા આપી.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણીના પ્રમુખ સ્થાને ભાજપ અનુ. જાતિ. મોર્ચાના આગેવાનો સાથે એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ, આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ, પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ આગામી તા.૦૫ મે સુધીમાં અનુ.જાતિ.સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો, સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ લોકો નો સંપર્ક કરવામાં આવશે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે તેમજ સમાજમાં સમરસતાનો ભાંવ ઉભો કરાશે. આ સન્માન અભિયાનમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ચુટાયેલા સભ્યશ્રીઓ સહીત સંગઠના જવાદાર પદાધિકારીઓ સહીત જીલ્લા સ્તરના વિવિધ મોરચાના પદાધિકાશ્રીઓ, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી મોહલામાં પ્રવાસકરીની દલિતસમાજના નિવાસસ્થાને બેઠકો અને લોક સંપર્કો કરશે સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો,સમાજ સેવકો શિક્ષણવિદો તેમજ ધાર્મિક આગેવાનોનો સંપર્ક કરવા માટે અમરેલી જીલ્લા ભરમાંથી ૧૨૫ ઉપરાંત આગેવાનોની ફોજ આ અભિયાનને સફળ બનાવવા માટે ગ્રામ્ય અને શહેર કક્ષાએ પ્રવાસ કરશે.
આજની મળેલ આ બેઠકમાં જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી મેહુલભાઈ ધોરાજીયા, સન્માન અભિયાન કાર્યક્રમના ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જશ્રી મનોજભાઈ મહીડા, શ્રી સંદીપભાઈ સોલંકી, શ્રી સાગરભાઈ સરવૈયા સહીત સર્વશ્રી વાલજીભાઈ વિઝુંડા, મુકેશભાઈ બગડા, પ્રવીણભાઈ ચાવડા, રવજીભાઈ ચૌહાણ, સુનિલભાઈ માધડ, મુકેશભાઈ પરમાર, ચેતનભાઈ દાફડા, જીતુભાઈ બથવાર, લલિતભાઈ મારૂ, હીરાભાઈ મકવાણા, મધુભાઈ ચાવડા, ચતુરભાઈ સરવૈયા તેમ જીલ્લા ભાજપ કાર્યાલય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ ચાવડા એ અખબાર યાદીથી જણાવ્યું હતું.
અમરેલી વકીલ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
.
Recent Comments