ગુજરાત

અમદાવાદઈસ્કોનબ્રિજઅકસ્માતકેસ:ગુજરાત હાઇકોર્ટે માતાની સારવાર માટે 7 દિવસના હંગામી જામીન આપ્યા

અંડવાદના બહુ ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્યએ તેની માતા બીમાર હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ આ મામલે તથ્યના હંગામી જામીન મંજૂર કર્યા છે, ત્યારે તથ્યની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તેવું જણાવાયું છે.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં 9 નિર્દોશ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનામાં ફૂલ સ્પીડમાં જેગુઆર કાર હંકાવી અકસ્માત સર્જનારા અને જેલમાં રહેલો આરોપી તથ્ય પટેલે માતા બીમારી હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. 

આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે. 12 મેના રોજ માતાને કરોડરજ્જુની સર્જરી થવાની છે.

તથ્ય પટેલે પોતાના માતાની સારવાર માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પંદર દિવસના જામીન માગ્યા હતા. પાંચ દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી રદ કરી હતી. ત્યારબાદ તથ્ય પટેલ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા. અગાઉ તેના દાદાનું નિધન થયું હોવાથી તેને એક દિવસના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આપેલા હતા.

Related Posts