ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં ‘માંગલ શક્તિ સન્માન’ સાથે સંતવાણી લોકડાયરો યોજાયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ તેમનાં પ્રેરક ઉદબોધનમાં માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં પ્રસન્નતા વ્યક્ત કરી.
શ્રી મોરારિબાપુએ ભગુડામાં કંઈક તત્ત્વ રહ્યાનું જણાવી પોતે પ્રવચન માટે નહિ પણ માને પગે લાગવાં આવતાં હોવાનું જણાવી માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શક્તિ એટલે માતાનાં નવ સ્વરૂપનો ઉલ્લેખ કરી જન્મદાતા માતા, ભારત માતા, ધરતી માતા, આદિ આંબા માતા, સીતા માતા, સરસ્વતી માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગીતા માતા અને મહિમા સમજાવી આપણી આ માતા કાજળ આંજવા નહી, અંજવાળું આંજી રહી છે તેમ વંદના કરી. ભારતની સનાતન સંસ્કૃતિનાં પ્રકાશ માટે માનાં આશીર્વાદ રહ્યાનું જણાવ્યું.
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ ભગુડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં ‘શ્રી માંગલ શક્તિ સન્માન’ સાથે યોજાયેલ જેમાં શ્રી ઈશરદાન ગઢવી, શ્રી હરસુરભાઈ ગઢવી, શ્રી મહેશદાન ગઢવી, શ્રી કરણીદાન ગઢવી, શ્રી ભગવાનદાસ પટેલ તથા શ્રી મનુભાઈ ચુડાસમાનું શ્રી મોરારિબાપુ સાથે શ્રી માયાભાઈ આહિર તથા શ્રી કિર્તીદાન ગઢવીનાં હસ્તે ભાવ વંદના કરવામાં આવી.
આ પ્રસંગે શ્રી જયંતીભાઈ ભાદેશિયા તથા શ્રી રમેશભાઈ મેરજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર આયોજન માર્ગદર્શક અને સંચાલનમાં શ્રી મહેશભાઈ ગઢવી રહ્યાં હતાં તેઓએ આ સંસ્થા અને સ્વયંસેવકો દ્વારા થતી સનાતન સેવા પ્રવૃત્તિ અંગે ઉલ્લેખ કર્યો હતો.
દિવ્ય અને ભવ્ય પાટોત્સવ પ્રસંગનાં પ્રેરક અને શુભેચ્છક શ્રી માયાભાઈ આહિરે સંતો, મહાનુભાવો અને ભાવિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
આ ઉત્સવમાં શ્રી શેરનાથબાપુ, શ્રી કણીરામબાપુ, શ્રી ધનસુખનાથ બાપુ, શ્રી બાલકનાથબાપુ, શ્રી રમજુબાપુ, શ્રી લહેરગીરીબાપુ, શ્રી તુલસીદાસબાપુ, શ્રી ઉર્જામૈયા સહિત સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી.
બુધવારથી રવિવાર દરમિયાન તીર્થધામ ભગુડામાં પાટોત્સવ સાથે સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. શ્રી રામદેવપીર મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રી માંગલમા તથા શ્રી ખોડિયારમા મૂર્તિ અનાવરણ, શ્રી મહાકાળી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ કાર્યક્રમ અને સંતવાણી લોકડાયરો યોજાયેલ.
રવિવારે યોજાયેલ લોકડાયરામાં કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી સાંઈરામ દવે, શ્રી દેવરાજ ગઢવી, શ્રી રાજભા ગઢવી, શ્રી બ્રિજરાજ ગઢવી, શ્રી હરસુખગિરી ગૌસ્વામી, શ્રી ઉમેશ બારોટ, શ્રી સાગરદાન ગઢવી, શ્રી મયુર દવે, શ્રી રાજ ગઢવી, શ્રી બાબુભાઈ આહિર, શ્રી દીપકબાપુ હરિયાણી, શ્રી પોપટભાઈ માલધારી તથા શ્રી નાજાભાઈ આહિર દ્વારા જમાવટ થઈ હતી.
આ પ્રસંગે રાજકીય સામાજિક અગ્રણી તથા મહાનુભાવો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી ભિખુભાઈ વારોતરિયા, શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી બાબુભાઈ માંગુકિયા, શ્રી દિગુભા ગોહિલ, શ્રી જીતુભાઈ કાછડ, શ્રી જીતુભાઈ ડેર, શ્રી જયેન્દ્રસિંહ જાદવ, શ્રી બાબભાઈ કાગ, શ્રી કુલદીપસિંહ ગોહિલ વગેરેની ઉપસ્થિતિ રહી હતી.
આ સમારોહમાં શ્રી કેદાન ગઢવી લિખિત ‘કૃપા’ અને શ્રી માયાભાઈ આહિર સંદર્ભે ‘એકચુલી’ પ્રકાશનનું વિમોચન કરવામાં આવેલ. સંસ્થાનાં શ્રી રામભાઈ કામળિયા, શ્રી માયુભાઈ કામળિયા સાથે કાર્યકર્તા અને સ્વયંસેવકો આયોજન વ્યવસ્થામાં જોડાયાં હતાં.
વરસાદી વાતાવરણમાં પણ આ મહોત્સવમાં સ્થાનિક ઉપરાંત દૂર સુદુરથી ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં અને લાભ લીધો હતો.
Recent Comments