અમરેલી

વડીયા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા – તા.૨૭ મે સુધીમાં અરજી કરવી

વડીયા તાલુકાના કોલડા પ્રાથમિક શાળા, ખજૂરી પ્રાથમિક શાળા, જંગર પ્રાથમિક શાળા, ભુખલી સાંથળી પ્રાથમિક શાળા, વાવડી રોડ પ્રાથમિક શાળા, સારંગપુર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકની આવશ્યકતા છે, આ માટે તા.૨૭-૫-૨૦૨૫ સુધીમાં અરજી કરવી.

 મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકની આ જગ્યાઓ માટે ફક્ત તે જ ગામના ઉમેદવાર કે વતની, ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને ૬૦ વર્ષથી ઓછી હોય અને શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ કર્યું હોય તેવા લાયક ઉમેદવાર અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે.  નિયત અરજી પત્રક કચેરીના સમય દરમિયાન વડીયા તાલુકા મામલતદાર કચેરીની પી.એમ. પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના શાખામાંથી તા.૨૩.૦૫.૨૦૨૫ સુધીમાં મળી શકશે.

લાયક ઉમેદવારે તા.૨૭.૦૫.૨૦૨૫ ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમાં યોગ્ય પ્રમાણપત્રોની ખરી નકલ અને નિયત અરજી પત્રકમાં જરુરી તમામ વિગતો ભરી વડીયા તાલુકા મામલતદાર કચેરી મુકામે પહોંચાડવી, તેમ વડીયા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts