અમરેલી

તળાજા: વ્રજભૂમિ વિધાલય ફુલસર ખાતે પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનું પ્રેરક પ્રવચન યોજાયું

વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર, તા. તળાજા ખાતે પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના પ્રેરક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહેમાન શ્રી દ્વારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોના અભ્યાસ માટે 500 ડોલર એટલે કે અંદાજે ભારતીય રકમમાં 31 હજાર રૂપિયા જેટલું દાન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તેમની સાથે મહેશભાઈ કાનાણી દર્શન સ્કૂલ સુરેન્દ્રનગર, જશવંત મહેતા કવિ લેખક ચિંતક અને લક્ષ્મણભાઈ કામળીયા ભગુડા 

( મેનેજીંગ ટ્રસ્ટી વ્રજભૂમિ વિધાલય ફુલસર,) તેમજ વિશાલભાઈ રાજ્યગુરુ વર્ગ- ૨ અધિકારી શિક્ષણ વિભાગ આચાર્યશ્રી મોડેલ સ્કૂલ તળાજાની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તેમજ આ શાળામાં વિદ્યાર્થીની બહેનોને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે, જે બાબતની તેઓ દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી, તેમજ તેને શિક્ષણયજ્ઞ તરીકે ઓળખાવવાતા તેમાં આપેલ આહુતિઓ રાષ્ટ્રના સુંદર ભવિષ્યનું નિર્માણ કરશે તેવો વિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો. શાળાના આ ભગીરથ પ્રયાસને તેઓ દ્વારા સુંદર રીતે બિરદાવવામાં આવ્યો, શાળા એ કન્યા શિક્ષણ માટે રણમાં મીઠી વીરડી સમાન બની રહી છે એ બાબતનો વક્તા પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ ખાસ ઉલ્લેખ કરીને શાળાને ખૂબ  અભિનંદન પાઠવ્યા હતા. શાળા દ્વારા આવી હકારાત્મક પ્રવૃત્તિઓ શરૂ રાખવામાં આવે તેવી ખાતરી શાળાના સંચાલકો દ્વારા મહેમાનશ્રીને આપી હતી.

Related Posts