રાષ્ટ્રીય

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ

ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે (23મી નવેમ્બર) સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 380 નોંધવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં AQI 400ને વટાવી ગયો છે, જેના કારણે દિલ્હીની હવા રહેવા યોગ્ય છે કે નહીં તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.છેલ્લા ત્રણ દિવસથી AQIનો ટ્રેન્ડ ચિંતાજનક છે (20 નવેમ્બરે 391, 21 નવેમ્બરે 364 અને 22 નવેમ્બરે 370), જે દર્શાવે છે કે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની રહી છે. દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, બુરાડી ક્રોસિંગ, મુંડકા, નરેલા, નેહરુ નગર, નોર્થ કેમ્પસ, પંજાબી બાગ, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર અને વઝીરપુર મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા 400ને વટાવી ગઈ. વઝીરપુર અને વિવેક વિહાર સ્ટેશનો પર હવાની ગુણવત્તા સૌથી ખરાબ હતી, જ્યાં AQI સ્તર 440 અને 450 ની વચ્ચે નોંધાયું હતું. ફક્ત મંદિર માર્ગે શ્રેષ્ઠ હવા ગુણવત્તા નોંધાઈ હતી, જેમાં 298 AQI હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે.વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે ખાનગી ઓફિસોને તેમની સ્થળ પરની કાર્યબળ ક્ષમતાના 50 ટકા કામ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ દરમિયાન બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ ચાલુ રાખશે. આ નિર્ણય એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે. પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ ભાર મૂક્યો હતો કે દિલ્હી સરકાર GRAP-3 હેઠળ પ્રદૂષણ નિયંત્રણ પગલાં સક્રિયપણે અમલમાં મૂકી રહી છે, જેમાં જાહેર આરોગ્ય અને હવા ગુણવત્તા સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Related Posts