ભાવનગર

શાળાએ ન આવતા બાળકોને લાવવા ઢોલના તાલે સ્વાગત કરવા આચાર્ય અને શિક્ષકો બાળકોના ઘરે પહોંચ્યા

પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું નથી અને શાળાએ પણ આવતા નથી એવા બાળકોના વાલીઓનો વારંવાર સંપર્ક કરીને સમજાવવા છતાં બાળકો શાળાએ ન આવતા હોવાથી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા અને શિક્ષકો સી.એમ.ધંધુકિયા તથા પી.ડી.જાની અને પી.સી.બાબરીયા બાળકોના ઘરે ઘરે જઈને ગોહિલ બળુભાઈ દ્વારા ઢોલ વગાડીને શાળાએ આવવા માટે સમજાવ્યા હતા.

      ૬ થી ૧૪ વર્ષના ૧૦૦ ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા દ્વારા સરાહનીય અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

Related Posts