નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમામય પ્રસંગે શાળાના નિવૃત્ત થતા નિષ્ઠાવાન સેવક શ્રી સલીમભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.
ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી આયુષ બકરાણીયાના સંચાલન હેઠળ વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો અને કૃતિઓ રજૂ કરી હતી. આચાર્ય શ્રી ચેતનભાઇ ગુજરીયાના નેતૃત્વમાં શિક્ષિકા બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.
ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને સલીમભાઈ, જયંતિભાઈ ખડદિયા, માંજરીયા સર અને શાળાના NSS યુનિટ તરફથી રોકડ ઇનામો અને પ્રોત્સાહન આપી નવાજવામાં આવ્યા હતા.
શ્રી વિપુલભાઈ દવેએ ધ્વજવંદન વિધિનું સંચાલન કર્યું હતું, જ્યારે એનએસએસ યુનિટ દ્વારા નાસ્તાની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શ્રી રફીકભાઈએ આભાર વિધિ કરી હતી. સમગ્ર સ્ટાફના સહયોગથી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.


















Recent Comments