અમરેલી

ખાંભા ખાતે ૭૭માં જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વ ઉજવણીમાં યોગ પ્રસ્તુતિ દ્વારા આરોગ્ય જાગૃતિ

અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ ૭૭માં જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ – સાગર મહેતા યોગ ગ્રૂપ દ્વારા મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રીત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં અમરેલીના યોગ સાધકોની પ્રસ્તુતિ દ્વારા જાગૃત્તિ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ યોગ પ્રસ્તુતિની વિશેષતા એ હતી કેતેમાં ૦૫ વર્ષની બાળકીથી લઈ ૬૫ વર્ષ સુધીની વયજૂથની કુલ ૧૬ બહેનોએ ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતોની સંગીતમય પૃષ્ઠભૂમિમાં બહેનો દ્વારા વિવિધ યોગાસનોનું સુમેળભર્યુંશિસ્તબદ્ધ અને સૌંદર્યસભર પ્રદર્શન કરવામાં આવ્યુંજેને ઉપસ્થિત પ્રેક્ષકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી.

આ યોગ પ્રદર્શન દ્વારા લોકોમાં મેદસ્વિતાડાયાબિટીસબ્લડપ્રેશર તથા કેન્સર જેવા રોગોથી મુક્ત રહેવાતેમજ યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કેગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધારવોલોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવો અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ તથા નિરોગી જીવન તરફ દોરી જવાનો છે.

યોગ પ્રસ્તુતિમાં ભાગ લેનાર સભ્યોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના જિલ્લા કો-ઓર્ડેનેટરશ્રી સાગર મહેતાશ્રી રીટા બહેન કાનાબરશ્રી ઇલા બહેન જોબનપુત્રાશ્રી કવિતા બહેન ચંદારાણાશ્રી શોભના બહેન પટેલશ્રીરાધિકાબહેન ગોલશ્રી આશાબહેન રૈયાણીશ્રી હીરવા બહેન રામાણીશ્રી અનિતા બહેન રામાણીશ્રી પ્રિતી બહેન સોનીશ્રી પારુલબહેન સાવલિયાશ્રી અલકા બહેન ભીમાણીશ્રી ભારતીબહેનશ્રી શિવાંશી બહેન તથા શ્રી આસ્થા બહેન સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જિલ્લા કલેક્ટરશ્રીજિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts