ભાવનગર

દેવળીયા ધાર ખાતેના ગુરુદત્તાત્રેય આશ્રમમાં હનુમંત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે 

તળાજા પાલીતાણા માર્ગ ઉપર આવેલા દેવળીયા ધાર ખાતેના શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે.

તા.2 ને ગુરુવારના રોજ પ્રતિવર્ષની જેમ હનુમાન જન્મ જયંતિના પવિત્ર દિવસે થાણાપતિ મહંત પૂ. લહેરગીરીબાપુ સંચાલિત આશ્રમમાં પૂજન, આરતી, અન્નકૂટ થાળ, મારૂતિ યજ્ઞ

તેમજ બપોરે મહાપ્રસાદ વિતરણ થશે. રાત્રિના ભજનો – સત્સંગ થશે.

હનુમાન જયંતી નિમિત્તે ગૌ ધામ ગૌ શાળામાં વસતી ગૌ માતાઓને લાપસી પ્રસાદ ખવરાવવામાં આવશે.

આ હનુમાન જન્મોત્સવના પ્રસંગનો લાભ લેવા સંત પૂ 

લહેરગીરીબાપુએ સૌ ભાવિકોને જણાવ્યું છે.

Related Posts