ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ
સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્ય ને સાચા અર્થ
મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની
પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે તેમ છતાં કેટલાક
તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા
સરકારશ્રીના તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવા મા
આવેલ છે
જેમા માહે-માર્ચ-૨૬ દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા
અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે
અધિનિયમ-૨૦૦૩ ના ભંગ બાબતે કુલ ૨૫૬ ઈસમો પાસેથી દંડ પેટે રૂા. ૬૪૭૦/- ની રકમ વસુલવામા આવેલ
હતી.
જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા ૩૪ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૭૮૦/-, તળાજા ડેપો કેઈસ ની
સંખ્યા ૨૯ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૮૬૦/-, મહુવા ડેપો કેઈસની સંખ્યા ૩૪ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.
૧૫૪૦/-, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા ૨૯ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૫૮૫/-, ગારીયાધાર ડેપો કેઈસની
સંખ્યા ૩૫ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૩૯૦/-, બરવાળા ડેપો કેઈસની સંખ્યા ૩૦ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.
૭૩૦/-, બોટાદ ડેપો કેઈસની સંખ્યા ૩૪ દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. ૯૪૫/-, ગઢડા ડેપો કેઈસની સંખ્યા ૩૧ દંડ
પેટે વસુલાયેલ રકમ રૂ. ૬૪૦/- આમ, કુલ ૨૫૬ કેઈસ દ્વારા રૂ. ૬૪૭૦/- દંડ પેટે લેવામાં આવ્યા હતા.
આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક
કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે
બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી
ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે નમ્ર
અનુરોધ વિભાગીય નિયામક એસ. ટી. ભાવનગરની યાદીમાં કરવામા આવે છે.


















Recent Comments