ભાવનગર

રવી માર્કેટિંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉં ખરીદીની મુદત ૧૫ જૂન સુધી લંબાવાઈ

રવી માર્કેટિંગ સિઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઘઉં ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક
પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
ખેડૂતોને ઘઉંના પાકના લધુતમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે હેતુથી ઘઉં ખરીદીની સમયમર્યાદા તા. ૧૫
મે, ૨૦૨૬ થી વધારીને તા. ૧૫ જૂન, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.જેની તમામ ખેડૂતોને નોંધ લેવા નાયબ જિલ્લા
મેનેજર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, ભાવનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts