મધ્યપ્રદેશ સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી રાકેશ સિંહે ગાંધીનગર ખાતે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા થઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મધ્યપ્રદેશમાં થઈ રહેલા વિકાસ કાર્યોમાં શ્રી રાકેશ સિંહજીના યોગદાનની પ્રશંસા કરી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, એક જનપ્રતિનિધિ તરીકે શ્રી રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે. મંત્રી શ્રી રાકેશ સિંહે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા કાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી હતી.















Recent Comments